સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે.

ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાની નાગરિકોની ફરિયાદો છે. સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં 17 વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પડઘા એટલા ઉગ્ર પડ્યા છે કે, યુવકની હત્યાના બાદ મહિલાઓએ રણચંડી બનીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ મહિલાઓએ કાપોદ્રા જ નહીં, સમગ્ર સુરતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની તેમજ હત્યારાને ફાંસી આપવાની માગ કરી હતી. 400-500 મહિલાના ટોળાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતાં માહોલ તંગ બની ગયો હતો. આ મામલે ડી.સી.પી. આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે.

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *